સુવિચાર
_____________________________________
-લોકમાન્ય તિલક
સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો
ત્યાં સુધી હાથમાં આવતી નથી.
-લોકમાન્ય તિલક
________________________________________________________________
-ભગવાન શંકરાચાર્ય
પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે,
પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
________________________________

-દયાનંદ સરસ્વતી
જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના
કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં
રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.
-દયાનંદ સરસ્વતી
________________________________________________________________

-રામકૃષ્ણ પરમહંસ
ઘરમાં જો દીવો ન જલતો હોય તો તે દરીદ્રતાનું ચિહ્ન છે.
હૃદયમાં જ્ઞાનનો દીવો જ્લાવવો જોઈએ .હૃદયમાં જ્ઞાનનો
દીવો જલાવીને તેને જુઓ.
-રામકૃષ્ણ પરમહંસ
________________________________________________________________
આપણે દુર્બળ છીએ, આ કારણથી કરીએ છીએ
અને આપણે અજ્ઞાની છીએ-આથી દુર્બળ છીએ.
આપણને અજ્ઞાની કોણ બનાવે છે? આપણે પોતે જ.
આપણે આપણી આંખોને પોતાના હાથ વડે ઢાંકી દઈએ છીએ
અને અંધકાર છે, કહીને રડીએ છીએ.
-
સ્વામી વિવેકાનંદ
____________________________________________________________
જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે
બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે.
-સંત તુલસીદાસ
_________________________________________________________________

જે રીતે ભૂખ વગર ખાધેલું ભોજન પચતું નથી,
તે જ રીતે દુ:ખ વગર સુખ પણ પચતું નથી.
-ગાંધીજી
_________________________________________________________________

હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં
દોડે છે તેને મૃગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.
-રામકૃષ્ણ પરમહંસ
________________________________________________________________

વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ
હૃદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે.
-રસ્કિન
__________________________________________________________________

જ્યાં મન, વચન, અને કાયા વડે તથા કથિત વિરોધીને
ક્ષતિ પહોંચાડવાની ભાવના છે ત્યાં હિંસા છે.
-ગાંધીજી
_________________________________________________________________

જે ત્યાગથી અભિમાન આવે, તે ત્યાગ નથી.
ત્યાગથી શાંતિ મળવી જોઈએ . અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે.
-વિનોબા ભાવે

જરા જેટલું અસત્ય પણ માણસનો નાશ કરે છે.
જેમ એક ટીપું ઝેર આખા દુધના તપેલાનો નાશ કરે છે.
-ગાંધીજી
_______________________________________________________________

વ્યર્થ આશામાં બંધાયેલો મનુષ્ય હૃદયને સુકવી નાખે છે,
અને આશાની શૃંખલા તૂટતા જ તે સ્વયં તૂટી જાય છે.
-રવીન્દ્રનાથ ટાગોર
___________________________________________________________________

સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી.
તે તો અંદર જ છે.
પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.
-સ્વામી વિવેકાનંદ
_______________________________________________________________

- એક મુર્ખ તે છે જે રોગી હોવા છતાં દવા નથી લેતો, ખોરાકમાં સંયમ ન રાખે અને સરળતાથી મળનારા સારા પદાર્થોને નથી લેતો.
- ચતુર માણસનું એ લક્ષણ નથી કે તે એકને તો મદદ કરે અને બીજા ભણી જુએ નહી.(ઈર્ષા કરે) એટલે કે ચતુર માણસ બધાને સંતોષ આપે છે.
- એકની સોબતથી લોકો તરી જાય છે અને બીજાની સોબતથી લોકો ડૂબી જાય છે. આથી સારા માણસોને ઓળખીને તેઓની સોબત કરવી જોઈએ .
____________________________________________________________________

- મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે.
- વિશ્વ પરમાત્માનું વ્યક્ત રૂપ છે.
- નબળી બાજુ જોવા કરતા ઊજળી બાજુનું દર્શન કોઈપણ શાસ્ત્ર કરાવે તો વધુ સારી સેવા માનવજાતની એ શાસ્ત્રના જ્ઞાતાએ કરી ગણાય.
____________________________________________________________________

- ઉઠ જાગ અને જ્યાં સુધી તારું ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જંપીશ નહિ.
- ભારતની ધરતી એ જ મારું સર્વોતમ સ્વર્ગ છે.
- ભય જ પતન અને પાપનું કારણ છે.

